સ્થળો ને લગતી સંક્ષિપ્ત ટિપ્પણીઓ (46 થી 59)

સંક્ષિપ્ત ટિપ્પણીઓ

[46] મોહેન-જો-દડો:
વર્તમાન સમયમાં મોહેન-જો-દડો પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં  સિંધુ નદીના કિનારે આવેલ છે. આ સૈન્ઘવ સભ્યતાનું  સૌથી મોટું અને પ્રમુખ નગર છે. મોહેન-જો-દડોનો અર્થ મડદાઓનો ધાગલો થાય છે.મોહેન-જો-દડો થીપૂજારીનું માથું, એક કાંસાની સ્ત્રી મૂર્તિ, યોગી ની આવૃત્તિવાળી મુદ્રા, વિશાળ સ્નાનાગાર તથાવિશાલ અન્નભંડારનાં અવશેષો મળ્યા છે. અહીંની જળ-નિકાસી પ્રણાલી ઉત્કૃષ્ટતમ છે.મોહેન-જો-દડો થૂ વણેલ સુતી વસ્ત્રનો એક ટુકડો પણ મળ્યો છે. અહીંથી માતૃદેવીની મૂર્તિ પણ મળી છે.

[47] માર્તન્ડ:
આ સ્થળ કાશ્મીર માં આવેલ છે. અહી કાશ્મીરના રાજા લલિતાદીત્ય દ્વારા આઠમી-નવમી શતાબ્દીમાં બનાવેલ સૂર્યનું પ્રસિદ્ધ મંદિર મળ્યું છે. આ મંદિરમાં કાશ્મીરની કલાના બધા અવશેષ મળે છે. છત ત્રિકોણીય બનેલ લાકડાની છે. છત પર રોશનદાન બનેલ છે.

[48] માસ્કી:
આ આંધપ્રદેશ રાજ્યમાં રાયચુર જીલ્લામાં તુંગભદ્રા નદીની સહાયક નદી માસ્કી ની નજીક એક નાનું ગામ  છે. અહીંથી તામ્ર-પાષાણ  સંસ્કૃતિ નાં ઐતિહાશિક અવશેષ મળ્યા  છે. માસ્કીથી અશોકના લઘુ શિલાલેખ મળ્યા  છે. માસ્કીનાઅભિલેખ ની સૌથી  મોટી વિશેષતા  છે કે અહીંથી ઓળખ  થાયછે કે અભિલેખ  માં ઉત્કીર્ણ દેવનાંપ્રિય પ્રિયદર્શી મૌર્ય શાસક અશોક  જ છે. આ અભિલેખમાં દેવનાં પ્રિય પ્રિયદસ્સીન રાજા અશોક  બંન્ને પદ અંકિત છે.

 [49] મહેન્દ્રગિરિ:
ઉડીસામાં આવેલ છે. અહીંથી અશોકના બે  કલિંગ લેખ(૧૨ અને ૧૩) મળ્યા છે. આ બે શિલાલેખોમાં નાવવિપ્રત કલિંગ રાજ્યના પ્રશાસન ને ચલાવવાના નિયમ લખ્યા હતા. આ બે  શિલાલેખ ઘૌલી અને  જૌગઢ માં મળે છે. સંભવતઃ તેમનું નિર્માણ ૨૫૦ ઈ.પૂ. છે.

[50] મુખલિંગમ:
તેની ઓળખ ઉડીસા રાજ્યના ગંજામ જીલ્લામાં આવેલ પ્રાચીન કલિંગનગર થી કરેલ છે. અહી ઉડીસાની પ્રાચિનતમ રાજધાની હતી. ૧૦મી-૧૧મી સદીમાં ગંગવંશીય નારેશોમાં અનંતવર્મન ચૌડગંગ(૧૦૭૬-૧૧૭૭ ઈ.) સૌથી વધુ પ્રસિદ્ધ હતો. તેણે પુરીનું પ્રસિદ્ધ જગન્નાથ મંદિર બનાવ્યું હતું. મુખલીંગમ વંશધારા નદીના કિનારે  આવેલ છે. એ પણ સંભાવના વ્યક્ત કરી છે કે મૌર્ય સમ્રાટ અશોક નો પણ એક સ્તંભ છે.

[51] નચાન:
આ સ્થળ મધ્યપ્રદેશના ભૂતપૂર્વ અજયગઢ રાજ્યમાં આવેલ છે. અહીંથી ગુપ્તકાળમાં બનાવેલ પાર્વતી નું પ્રસિદ્ધ મંદિર મળ્યું છે જે પોતાની નગર શૈલી ની ખુબસુરતી માટે વિખ્યાત છે. અહીઅન્ય મંદિરો સિવાય મહાદેવનું મંદિર પણ મળેલ છે.

[52] પિપરહવા:
નેપાળની સીમા પર પિપરહવા નાં ખંડેરોમાં એક સ્તૂપ મલ્ય૭ઓ છે. જે પથ્થર નાં એક વિશાળ કક્ષની ચારેબાજુ તથા તેની ઉપર ઈંટોની એક ઠોસ ગુંબત નાં રૂપે બનેલ છે. આ સ્તુપમાં ઈંટોનું જોડાણ ખુબ જ સારી રીતે લગાવેલ છે. પથ્થરનો વિશાળ કક્ષ આનાથી સારો બની શકે તેમ નથી. પુણ્યઅસ્થિઓ ના સમ્માનમાં ઘણી રીતના બહુમુલ્ય પથ્થર  રાખેલ છે.

[53] રાજીમ:
જીલ્લો રાયપુર, મ.પ્ર. માં આવેલ છે. અહીરાજીમ કે રાજીમલોચન ભગવાન રામચંદ્રનું પ્રાચીન મંદિર છે. જે લગભગ ૮ મી કે ૯ મી સદીનું છે. અહીંથી મળેલ છે. અભિલેખો થી જ્ઞાત થાય છે કે આ મંદિરના નિર્માતા રાજા જગતપાલ હતા.

[54] સંઘોલ:
સંઘોલ વર્તમાન પંજાબ રાજ્યનાં લુધિયાણા જીલ્લમાં આવેલ છે. અહીં થી ઉત્તર-હડપ્પા યુગથી મૌર્યોત્તર યુગ સુધીનું મહત્વપૂર્ણ ઐતિહાસિક સાક્ષ્ય મળ્યા છે. સંઘોલ એક ઉત્તર-હડપ્પા સ્થળ છે. અહીંથી હિન્દ-પહલવો, કુષાણોતથા અર્ધજનજાતીય લોકોથી સંબધીત મુદ્દાઓ મળી આવ્યા છે. અહી એક ટંકશાળ પણ હતી. અને આ સ્થળ મથુરા કલાનું મહત્વનું  કેન્દ્ર હતું.

[55] શિશુપાલગઢ:
આ ઉડીસા રાજ્યમાં ભુવનેશ્વર ની નજીક પુરી જીલ્લામાં આવેલ છે. શિશુપાલગઢ ૩૦૦ ઈ.પૂ. થી ૩૦૦ ઈ. મધ્યની સંસ્કૃતિના અવશેષો મળ્યા છે. શિશુપાલગઢથી ૩ મીલ દુર ઘૌલી આવેલ  છે. જ્યાંથી અશોકના અભિલેખો મળ્યા છે. જે તોસાલી નાં રૂપે વર્ણિત છે.

[56] સિરપુર:
મધ્ય ભારતમાં સિરપુરનું લક્ષ્મણ મંદિર ગુપ્તકાલીન કુઠાર નાં મહાદેવ તથા  ગ્વાલિયર નાં પઠારી મંદિરોના અનુરૂપ  નાગર શૈલી નું છે. તેમાં ગર્ભગૃહ પંચરથ માં નિયોજીત છે. જે શિખરની ઊંચાઈ સુધી ઉન્નત  છે. ઇંટોથી બનેલ આ મંદિર સામે બાજુ ત્રિકોણાત્મક રૂપથી બનેલ છે.

[57] સોંખ:
મથુરા જીલ્લામાં સોંખ નામક સ્થાનમાં  કાંસાનું એક કુષાણકાલીન ફલક મળ્યું છે. જેમાં સિંહશિરા માતૃદેવીને એક દેવતા સાથે બતાવેલ છે. અને તેમાં આ દેવી એ પોતાની જમણી કેદમાં બાળક રાખેલ છે. અહીંથી પ્રાપ્ત એક અન્ય કુષાણકાલીન મૂર્તિમાં  જે તૂટેલઅવસ્થામાં મળેલ છે. ત્રણ દેવીઓ નું ચિત્રણ કરેલ છે, જેમાંથી બે વારાહી અને નારસિહી માતાની છે. કેમ કે તેમાંથી એક ચહેરો સુવર અને એક ચહેરો સિંહ નો છે.

[58] સુતકાંગેડોર:
આ અરબ સાગર  તટથી ૩૦ મીલ દુર મકરાન તટ પર આવેલ છે. આ સૈન્ઘવ સભ્યતાનુંપ્રાકૃતિક બંદરગાહ નગર હતું. આદારક નદી નાં મુખ પર આવેલ હતું. આ ક્ષેત્ર  ફારસ ની ખાડી થી સંબદ્ધ હતી. અહી સુધી વિશાળ દુર્ગ અને પથ્થરો થી ઘેરાયેલ આવાસ મળેલ છે.

[59] તિગવા:
તિગવા મધ્યપ્રદેશના જબલપુર માં આવેલ છે. અહી એક પ્રસિદ્ધ મંદિર છે. તેમાં આર્ય શૈલીના અનેક ગુણ દેખાય છે. આ મંદિરનું નિર્માણ પણ સંભવત: ગુપ્તકાળમાં થયું હતું. અહી એક ઊંચા ઢગલા પર સ્થિત ચોકોર ગર્ભગૃહ છે. જેમાં શિવલિગ પ્રતિષ્ઠિત છે. મંદિરની છત ચપટી છે. બહારના ભાગમાં કલાત્મક ઢંગથી સુસજ્જીત સ્તંભ બનેલ છે. જેમાં પૂર્ણ કળશ સીવાલ્ય ચાર સિંહ પીઠ થી પીઠ લગાવીને બેઠેલ છે.

Post a Comment

[blogger][facebook]

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.