Current Affairs 22/11/2016

Guided Missile Destroyer INS Chennai
  • આ વિધ્વંસક જહાજ નું પ્રતાર્પણ મુંબઈ (Naval Dockyard) માં કરવામાં આવ્યું.
  • આ “કોલકત્તા” ક્લાસ નું છેલ્લું અને ત્રીજું વિધ્વંસક જહાજ છે.
  • આ જહાજ Directorate of Naval Design (Indian Navy’s in-house Organization) અને Mazagon Dock Limited, Mumbai દ્વારા બનાવવામાં આવ્યું છે.


National Institute of Oceanography દ્વારા Autonomous Underwater Vehicle “MAYA”
  • આ એક એવો રોબોટ છે જે પાણી ની અંદર વિવિધ પ્રકારની રસાયણિક માહિતીઓ જેવી કે સેલીનીટી, પામી માં ઓક્સિજન ની માત્રા, તાપમાન વગેરે જેવી માહિતીઓ સરળતાથી મેળવી લાવવામાં મદદરૂપ બનશે.
  • આ રોબોટ નું સંચાલન કોમ્પ્યુટર દ્વારા સતહ ઉપરથી કરી શકાય છે.


Multi-Fuel Domestic Cook Stove “NEERDHUR”
  • આ સ્ટવ CSIR- National Environmental Engineering Research Institute(NEERI) દ્વારા બનાવવામાં આવ્યું છે.
  • આ સ્ટવમાં ગ્રામ્ય વિસ્તારમાં મળતા તમામ બળતણ નો ઉપયોગ કરી સકાય છે.
  • આ સ્ટવ ની કાર્યક્ષમતા પરંપરાગત સ્ટવ કરતા ૫૦% વધારે છે.


National Energy Policy
  • ૨૦૧૯ સુધીમાં દેશ ના દરેક ગામ માં વીજળી પહોચાડવી.
  • ૨૦૨૨ સુધીમાં દેશના દરેક ખૂણે ૨૪ કલાક વીજળી પૂરી પાડવી.
  • ૨૦૩૦ સુધીમાં INDC (INTENDED NATIONALLY DETERMINED CONTRIBUTION) ના ટાર્ગેટ મુજબ પ્રદુષણ માં ૩૩% થી ૩૫% સુધીનો ઘટાડો કરવામાં આવશે.
  • ૨૦૨૨ સુધીમાં ૧૭૫ GW વિદ્યુત ઉર્જા નું ઉત્પાદન પુન:પ્રાપ્ય ઉર્જા સ્ત્રોતો દ્વારા થશે.
  • The target set for the various renewable energy sources for the next three years are:(In MW)
Source
2016-17
2017-18
2018-19
Solar Power
12,000
15,000
16,000
Wind
4000
4600
5200
Biomass
500
750
850
SHP
225
100
100
Grand Total
16725
20450
22150

Cultural Talent Search Scholarship Scheme
  • ૧૦ થી ૧૪ વર્ષ ના બાળકો માટે
  • વિવિધ સંસ્કૃતિક ક્ષેત્રો જેવા કે પરંપરાગત સંગીત, નૃત્ય, નાટક અને સાથે સાથે ચિત્રકલા, હસ્તકલા, મૂર્તિકલા અને સાહીત્યક પ્રવૃત્તિઓ માં ખાસ પ્રકારની તાલીમ મેળવવા માટે.
  • આ અંતર્ગત ૨ વર્ષ માટે સહાય મળશે. અને જો તેમાં વિકાસ જણાય તો આગળ ૨૦ વર્ષ ની ઉમર સુધી મળતી રહેશે.
  • આ અંતર્ગત ૩૬૦૦ રૂપિયા શિષ્યવૃત્તિ અને ૯૦૦૦ રૂપિયા સુધીની ટ્યુસન ફી મળશે.

OROP (One Rank One Pension) ની માંગને લગતી બાબતો માટે નિમાયેલી કમિટી
  • “Justice L. Narshimha Reddy Committee.”

Naimishya Samman Award by RSS Cultural Unit.
  • આ એવોર્ડ શાંતિ, માનવ અધિકાર, સાહિત્ય, વિસ્યુઅલ અને પરફોર્મિંગ આર્ટસ, વિજ્ઞાન અને શિક્ષણ ક્ષેત્રે આપવા માટે.
  • પરંતુ આ એવોર્ડ માટે Ministry Of Culture દ્વારા મંજુરી મળી નથી.

રાષ્ટ્રીય સંસ્કૃતી મહોત્સવ – ૨૦૧૬
  • આ મહોત્સવ વારાણસી ખાતે ૧૮ થી ૨૫ નવેમ્બર યોજાયો છે.
  • પ્રથમ વખત આ મહોત્સવ ૨૦૧૫ માં યોજાયો હતો.
  • આ મહોત્સવ માં આખા દેશની દરેક પ્રકારની સંસ્કૃતિ એક જ જગ્યાએ બતાવવા  માટે યોજાય છે.

60th National Shooting Championship for Shotgun
  • આ સ્પર્ધા રાજસ્થાન માં જયપુર ખાતે યોજાઈ હતી.
  • આ સ્પર્ધા માં “માનવજીત સિંહ સંધુ” એ પ્રથમ ક્રમે મેડલ મેળવ્યો હતો.


47th International Film Festival of India (IFFI) 2016
  • આ ફેસ્ટીવલ ગોવા ના પણજી માં યોજાશે.

ICCR (Indian Council for Cultural Relation)
ICCR દ્વારા પ્રથમ વર્લ્ડ સંસ્કૃત અવોર્ડ બે વ્યક્તિઓને આપવામાં આવ્યો.
  • પ્રિન્સેસ માહા ચક્રી સીરીન્ધોરન(Princess maha chakri sirindhorn)
  • પ્રો. જ્યોર્જ કાર્ડોના ( George cardona )


મત્સ્ય ઉત્પાદન બાબતોની માહિતી:
  1.  મસ્ત્ય ઉત્પાદન સાથે સંકળાયેલ ક્રાંતિ ને “Blue Revolution” કહેવામાં આવે છે. જેમાં Integrated  Developmentand  Management of fisheries schemes નો સમાવેશ થાય છે.
  2.  તારીખ ૨૧-૧૧-૨૦૧૬ નાં રોજ “world fisheries day” તરીકે ઉજવવામાં આવ્યો.
  3.  મત્સ્ય ઉદ્યોગ ક્ષેત્રે આશરે ભારતમાં કેટલા લોકો સંકળાયેલા છે? = ૧૫૦ લાખ
  4.  ભારતઝીંગા(shrimp fish)ઉત્પાદનમાંકેટલામું સ્થાન  ધરાવે છે?=પ્રથમ
  5.  વિશ્વમાંસૌથી વધુઝીંગા(shrimp fish) નો નિકાસ કોણ કરે છે ? =ભારત
  6.  ભારતનું કુલ મત્સ્ય ઉત્પાદન કેટલું છે ?= ૨૦૧૫-૧૬  માં ૧૦.૮ મિલિયમ ટન(વિશ્વના 6.4%)
  7.  મત્સ્યઉત્પાદનમાંવિશ્વનોસરેરાસ વાર્ષિક વૃદ્ધિ દર કેટલો છે ? = ૭.૫%
  8.  મત્સ્યઉત્પાદનમાં ભારતનોસરેરાસ વાર્ષિક વૃદ્ધિ કેટલોદરછે ? = ૧૪.૮ %
  9.  જળચર ઉછેરનાં મત્સ્ય ઉત્પાદનમાં વિશ્વ માં ભારતનું સ્થાન કેટલામું છે ?= બીજું
  10.  14.8% સરેરાશ વાર્ષિક વૃદ્ધિ દર સાથે ભારત મત્સ્ય પેદાશોનાનિકાસ માંવિશ્વમાં કેટલામાં સ્થાન પર છે? = પ્રથમ ક્રમે
  11.  ભારત સરકાર દ્વારા National fisheries action planઅંતર્ગત ૨૦૨૦ સુધીમાં કયો ધ્યેય નક્કી કરવામાં આવ્યો છે ? ૮% સરેરાસ વાર્ષિક વૃદ્ધિ દર અને ૧૫ મિલિયન ટન ઉત્પાદન

21st November as United Nations’ (UN) World Television Day
આખા વિશ્વમાં ૨૧ મી નવેમ્બર ને United Nations’ (UN) World Television Day તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસનું મહત્વ એટલા માટે છે કે ટેલિવિશને વિશ્વ ના દરેક લોકો ને લગતા મુદ્દાઓને પ્રસ્તુત કરવામાં મહત્વનો ભાગ ભજવ્યો હતો, જેમ કે અભિવ્યક્તિની સ્વતંત્રતા અને સંસ્કૃતિક વિવિધતાને પ્રોત્સાહન આપ્યુ હતું.

પૃષ્ઠભૂમિ:-
૧૭ મી ડિસેમ્બર ૧૯૯૬ ના રોજ યુ. એન.ની જનરલ એસેમ્બલી માં ૨૧ મી નવેમ્બર ને આખા વિશ્વ માં World Television Day તરીકે ઉજવવામાં આવે એવું નક્કી કરાયું કેમ કે  આ દિવસે પ્રથમ World Television Forum ભરાઈ હતી.
આમ આ દિવસ ના આધારે  ટેલિવિશનને પ્રોત્સાહન આપવું જેથી તે પોતાનું ધ્યાન વૈશ્વિક પ્રશ્નો જેવા કે શાંતિ, સલામતી, સંસ્કૃતિ, આર્થિક બાબતો તથા સમજી વિકાસ ને ઉજાગર કરવામાં રાખી શકે.

China Open Badminton Tournament 2016 wins by P. V. Sindhu in Women's Single Title.
ચાઇનીઝ ઓપન બેડમિન્ટન ટુર્નામેન્ટ ૨૦૧૬.
મહિલા સિંગલ ટાઈટલ માં ભારતીય ખેલાડી પી. વી. સિંધુએ મેડલ જીત્યો.

પી. વી. સિંધુ વિષે:-
  • ભારત ના હૈદ્રાબાદની રહેવાસી.
  • ભારતની પ્રથમ મહિલા ખેલાડી જેણે સમર ઓલમ્પિક ૨૦૧૬ માં સિલ્વર મેડલ મેળવ્યો.
  • ૨૦૧૫ માં બેડમિન્ટન વર્લ્ડ ચેમ્પીયનશીપમાં પ્રથમ ભારતીય મહિલા જેણે મેડલ મેળવ્યો.
  • ૨૦૧૫ માં તેને પદ્મ શ્રી એવોર્ડ મળ્યો.

પંડિત હરી પ્રસાદ ચોરસિયા ને સુમિત્રા ચરત રામ એવોર્ડ ૨૦૧૬ આપવામાં આવ્યો.
    જાણીતા વાંસળી વાદક પંડિત હરી પ્રસાદ ચૌરસીયા (૭૮) ને વર્ષ ૨૦૧૬ નો સુમિત્રા ચરત રામ એવોર્ડ ભારતીય પરંપરાગત સંગીત ક્ષેત્રે આજીવન સિદ્ધિ બદલ આપવામાં આવ્યો.
આ એવોર્ડ નવી દિલ્હી માં લેફ. ગવર્નર નજીબ જંગ ના હસ્તકે આપવામાં આવ્યો.

પંડિત હરી પ્રસાદ ચૌરસિયા વિષે:-
  • ૧૫ વર્ષ ની ઉમરે પંડિત હરે પ્રસાદે પોતાના પાડોશી પંડિત રાજારામ પાસેથી કંઠ્ય સંગીત શીખવાની શરૂઆત કરી.
  • ત્યારબાદ તેમણે વારાણસી ના પંડિત ભોલાનાથ પ્રસન્ના પાસેથી શાસ્ત્રીય વાંસણી વગાડવાની શરૂઆત કરી.
  • તે ઉત્તર ભારતીય પરંપરા મુજબ વાંસણી વગાડતા હતા.
  • તેણે ૧૯૫૭ માં ઓડ્ડીસાના કોત્તક માં ઓલ ઇન્ડિયા રેડીઓમાં કમ્પોસર અને પર્ફોમર નું કામ શરુ કર્યું.
પંડિત હરી પ્રસાદ ચૌરસિયાને મળેલા એવોર્ડ્સ:-
  • સંગીત નાટક એકેડમી (૧૯૮૪)
  • પદ્મ ભૂષણ (૧૯૯૨)
  • યશ ભરતી સન્માન (૧૯૯૪)
  • પદ્મ વિભૂષણ (૨૦૦૦)
  • દીનાનાથ મંગેશકર એવોર્ડ (૨૦૦૦)
  • સુમિત્રા ચરત રામ એવોર્ડ (૨૦૧૬)
સુમિત્રા ચરત રામ એવોર્ડ વિષે:-
  • આ એવોર્ડ નું નામ સુમિત્રા ચરત રામ નાં નામ પરથી પાડવામાં આવ્યું છે જેણે ઉત્તર ભારતમાં શાસ્ત્રીય કળા , ખાસ કરીને કથ્થક અને હિન્દુસ્તાની સંગીત નું પુનારુથ્થાન કર્યું.
  • આ એવોર્ડ એવી વ્યક્તિને આપવામાં આવે છે જેણે છેલ્લા ૧૫ વર્ષ થી ભારતીય શાસ્ત્રીય સંગીત અને નૃત્ય અથવા અન્ય ભારતીય કળા અને સંસ્કૃતિ તથા નાટ્યગૃહ માં અનોખું યોગદાન કર્યું હોય.
  • સુમિત્રા ચરત રામે શિરામ ભારતીય કલા કેન્દ્રની સ્થાપના કરી હતી, જે દેશનું પ્રખ્યાત અભિનય કલાનું કેન્દ્ર છે.

ભારત વર્ષ ૨૦૧૮ માટે Kimberly Process Certificate Scheme (KPCS) માં Vice Chair તરીકે ચૂંટાયુ.
આમ ભારત વર્ષ ૨૦૧૯ માટે KPCS માં Chair તરીકે રહેશે.
  • Kimberley Process Certification Scheme(KPCS) એ ૨૦૦૩ માં તૈયાર કરેલી એક પ્રોસેસ છે જે યુ.એન. ની જનરલ એસેમ્બલી માં પાસ થયેલ રીસોલ્યુસન ફ્લાવર રીપોર્ટ ના આધારે તૈયાર થયેલ છે. આ પ્રોસેસ રફ હીરા ના મુખ્ય પ્રવાહ માં અન્ય અથવા પ્રોબ્લેમ વાળા હીરાને પ્રવેશતા રોકે છે.
  • આ પ્રોસેસ મુજબ KPCS દ્વારા રફ હીરા ની ખરીદ વેચાણ માં સર્ટીફીકેટ આપવામાં આવે છે.

કેપ્ટન રાધિકા મેનન ને ૨૧ નવેમ્બર ના રોજ વર્ષ ૨૦૧૬ નો  International Maritime Award મળ્યો.
કેપ્ટન રાધિકા મેનન ને ૨૧ નવેમ્બર ના રોજ વર્ષ ૨૦૧૬ નો  International Maritime Award દરિયાઈ ક્ષેત્રે અસાધારણ બહાદુરી બદલ આપવામાં આવ્યો.
રાધિકા મેનને જુન ૨૦૧૫ માં બંગલાની ખાડીમાં સાત માછીમારોને નૌકા ડૂબી જતા બચાવ્યા હતા. જે બદલ તેણી ને એવોર્ડ મળ્યો. કેપ્ટન રાધિકા મેનન એ પ્રથમ મહિલા છે જેને આ એવોર્ડ દરિયાઈ ક્ષેત્રે અસાધારણ બહાદુરી માટે મળ્યો.
કેપ્ટન રાધિકા મેનન વિષે.:-
  • હાલમાં તે ઓઈલ ઉત્પાદક ટેન્કર સંપૂર્ણ સ્વરાજ ની માસ્ટર છે.
  • તે ભારતીય નૌકાદળ માં પ્રથમ મહિલા કેપ્ટન છે.
International Maritime Award વિષે.:-
  • આ એવોર્ડ International Maritime Organization દ્વારા આપવામાં આવે છે.
  • તેનું હેડક્વાટર લંડન(યુ,કે.) સ્થિત છે.
  • આ એવોર્ડ જે વ્યક્તિ પોતાના જીવ ની પરવાહ કાર્ય વગર દરિયાઈ ક્ષેત્રે અસાધારણ બહાદુરી બતાવે તથા કોઈનો જીવ બચાવે અથવા દરિયાઈ વાતાવરણને બચાવવાનો પ્રયત્ન કરે તેને આપવામાં આવે છે.
વર્ષ ૨૦૧૫નો આ એવોર્ડ યુ એસ નિવાસી ક્રિસ્ટોફર લીઓન ને આપ્યો હતો.

નવજાત બાળક ની સ્વાસ્થ્ય સુરક્ષા માટે ગુજરાત સરકાર દ્વારા અટલ સ્નેહ યોજના જાહેર કરી.
ATAL SNEH (Screening of New Born for Enhancement of Health) Scheme
યોજનાની શરૂઆત ૨૫મી ડીસેમ્બર ૨૦૧૬ ના રોજ થી થશે.
  • આગામી 25 ડીસેમ્બરે દેશના પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપાઇનો જન્મ દિવસ છે. તેથી પૂર્વ પ્રધાનમંત્રીના નામ સાથે અટલ સ્નેહ (સ્ક્રીનીંગ ઓફ ન્યૂ બોર્ન ફોર એન્હાન્સમેન્ટ ઓફ હેલ્થ) યોજનાની જાહેરાત ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ કરી હતી.
  • આ યોજના અંતર્ગત ન્યુરલટયુબ ડીફેકટસકલેફટ લીપ અનેપેલેટકલ્બ ફુટડેવલોપમેન્ટલ ડીસપ્લાઝીયા ઓફ હીપકન્જનાઇટલકેટેરેકટકન્જનાઇટલ ડેફનેસકન્જનાઇટલ હાર્ટ ડીસીઝરેટીનોપેથી ઓફ પ્રીમેચ્યોરીટીડાઉન્સ સિન્ડ્રોમઅન્ય કોઇ ખોડ ખાંપણ જેવી જન્મજાત ખામી ધરાવતા નવજાત શિશુનું પરિક્ષણ તપાસ કરવામાં આવશે.

Post a Comment

[blogger][facebook]

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.