[31] અરિકામેડુ:
વર્તમાન સમયમાં અરિકામેડુ તમિલનાડુમાં કોરોમંડલ તટ પર પોંડીચેરી ની નજીક આવેલ છે. આ મૌર્યોત્તર યુગમાં ભારત-રોમન વ્યાપાર નું સાક્ષ્ય પ્રસ્તુત કરવા વાળું સર્વપ્રથમ સ્થળ છે. મૌર્યોત્તર યુગમાં અરિકામેડુ નું વ્યાવસાયિક-વ્યાપારિક મહત્વ હતું . આ મલાયા-ચીન-ભારત વ્યાપારિક માર્ગથી જોડાયેલું હતું. ‘પેરીપ્લસ’ માં તેની ચર્ચા છે. અરિકામેડુ નું પુરાતાત્વિક ઉત્ખનન થી જ મહત્વપૂર્ણ વસ્તુઓ મળે છે, તેમાં પ્રમુખ છે-ઇંટો થી બનેલ સાહી હોજ , રોમન વસ્તી, રોમન વાસણ , કાંચ અને પાકેલી માટીની મૂર્તિઓ, મણકાતથા માલગોદામ. અવશેષો પરથી ખબર પડે છે કે કરઘા પર વસ્ત્ર-વણાટ નો વ્યાવસાય મોટા પાયે થતો હતો. મલમલ જેવી ઝીણી વણાટ નાં કપડા પણ અહી બનાવાતા હતા. અહીંથી પ્રાચીન ચૌલાની મુદ્દાઓ પણ મળી છે. રોમન શાસક ઓગસ્ટસ તથા ટાઇબેરિયસ નાં સિક્કા મળ્યા છે.
[32] બરાબર:
આ બિહાર રાજ્યમાં ગયા જીલ્લામાં આવેલ છે. બરાબર ની પહાડીઓમાં સાત ગુફાઓ છે. જે ગુફાઓ કલાની સર્વોત્તમ ઉદાહરણ છે. આ સાતમાંથી ત્રણને અશોકે આજીવકો ને દાન કરી દીધી હતી. અશોક નો પૌત્ર દશરથ એ પણ એક ગુફા આજીવકો ને દાન હતી.અહીંની ગુફાઓમાંથી નાગાર્જુની ગુફા તેમજસપ્તપર્ણગુફા ઘણી ઉત્કૃષ્ટ છે. બરાબરની પહાડીથી પ્રાપ્ત એક અભિલેખમાં મૌખરી શાસક અનંતીવર્મન નું વર્ણન છે.
[33] વાઘ (બાઘ):
ભૂતપૂર્વ ગ્વાલિયર રાજ્યમાં બાઘ નદીના કિનારે નાનું ગામ છે. જેની ચારેતરફ વિધ્ય પર્વતમાળા વિસ્તરેલ છે. આ પર્વતમાળાઓ પર ગુપ્તકાલીન 9 ગુફાઓ છે. સન1818 માં લેફ. ડેઝફિલ્ડે તેની શોધ કરી હતી. બાઘ ની ચોથી તેમજ પાંચમી ગુફાઓ પોતાની ટેમ્પેરા ચિત્રકામ માટે પ્રસિદ્ધ છે. આ ગુફાઓમાં લૌકિક તેમજ ધાર્મિક બંને વિષયો પર નાના પ્રકારના ચિત્ર દોરેલા છે.
[34] ભૂમા:
આ સ્થળ મધ્યપ્રદેશના પુતાપૂર્વ નાગોડ રાજ્યમાં જબલપુરની નજીક આવેલ છે. અહી ગુપ્તકાલીન શિવનું મંદિર મળે છે. નાગર શૈલીમાં બનેલ આ મંદિર ઘણું ઉત્કૃષ્ટ છે. અહીંથી ગુપ્ત કાળના અભિલેખ પણ મળ્યા છે.
[35] બોધગયા:
આ સ્થળ હિન્દુઓના પ્રસિદ્ધ તીર્થ ગયા(બિહાર) થી ૭ મીલ દક્ષિણ આવેલ છે. અહીં ગૌતમ બુદ્ધ ને બોધિવૃક્ષ ની નીચે જ્ઞાન મળ્યું હતું. અશોકે અહી બૌદ્ધ મંદિરનું નિર્માણ કરાવ્યું હતું. જે હેવાન-સાંગ નાંસમય સુધીહતું. આ મંદિરની પાસે સાત પ્રસિદ્ધ બૌદ્ધસ્થળ છે,જ્યાં બૌદ્ધ એ બુદ્ધત્વ મેળવ્યા પછી ૭ રાત વિતાવી હતી.આ મંદિરની વેદીકાઓ પર બૌદ્ધ જાતક કથાઓ, યક્ષ તેમજ યક્ષિણી ,શાલ-ભજ્જીકા સ્ત્રીઓની મૂર્તિઓ બનાવેલી છે. બોધગયાની કળામાં ભરહતની કળા સંક્ષિપ્ત રૂપમાં મળે છે. અહીની આકૃતિઓ સજીવ તેમજ ભાવપૂર્ણ છે.
[36] ભગતરાવ:
આ સ્થળ ગુજરાત-મહારાષ્ટ્ર ની સીમા પાસે ગુજરાતમાંઆવેલ છે. તેને હડપ્પા સભ્યતા નું દક્ષિણતમ ભાગનું સીમાસ્થળ કહે છે. આ કીમ નદીના કિનારે આવેલ છે.
[37] ચંદ્રકેતુગઢ:
ચંદ્રકેતુગઢપશ્વિમ બંગાળમાં આવેલ છે. આ સ્થળની પ્રસિદ્ધિ અહીંથી મળેલ કાળા રંગનાપાત્ર (NBPW) મળ્યાને કારણે છે. આ પ્રકારના પાત્ર ઉત્તરી ભાગમાં મળે છે. એટલે તેમનું ચંદ્રકેતુગઢ માં મળવું ઉલ્લેખનીય વાત છે. આ સ્થળ મૌર્યોત્તર કાળમાં ઘણું મહત્વપૂર્ણ બની ગયું હતું.
[38] ધામ્નેર:
બિહાર રાજ્યના ગયા જીલ્લામાં હતું. આ સ્થળને બોધગયા પણ કહેવાય છે. અહી એક બૌદ્ધસ્તૂપ હતો, જેને લગભઘ અશોકે બનાવ્યો હતો.જેને લગભગ અશોકે બનાવ્યો હતો.
[39] એલિફન્ટા:
મુંબઈથી ૭ મીલ ઉત્તર-પૂર્વમાં સ્થિત એક નાનો દ્વીપ અપોલો બંદરથી એલિફન્ટા ની ઓળખ થાય છે. તેનું પ્રાચીન નામ ધારાપુરી હતું. એલિફન્ટા ની ની ગુફાઓમાં ૫૦૦-૬૦૦ઈ.સ. માં ભગવાન શંકરની લીલાઓનું ચિત્રાંકન કરેલ છે. ઉત્કીર્ણ નટરાજ શિવથી ગુપ્તકાલીન મુર્તિકળાની વિશિષ્ટતાનાં સંકેત મળે છે. અહીં શક બૌદ્ધ ચેત્ય નાં અવશેષ પણ મળ્યા છે. ૧૬૦૦ ઈ.સ માં પુર્તગાલિઓએ આ ક્ષેત્ર પર પોતાનો અધિકાર કર્યો હતો. અહી આવેલ હાથીની મૂર્તિઓના કારને પુર્તગાલિઓએ આ સ્થળ નું નામ રાખેલ છે.
[40] એરણ:
આ મધ્યપ્રદેશ નાં સાગર જીલ્લામમાં બેતવા નદીના કિનારે આવેલ છે. માલવાની તામ્ર-પાષાણ સાંસ્કુતિ થી લઇ ગુપ્તકાળ સુધીના ઐતિહાસિક સાક્ષ્ય મળે છે. સમુદ્રગુપ્ત નાં શિલાલેખ માં આ એરિકણ નામથી અંકિત છે.એરણ માં તામ્ર-પાષાણ સંસ્કૃતિ નો પરિપક્વ વિકાસ થયો હતો. જે હડપ્પા સભ્યતાના સમકાલીન પરંતુ અસબદ્ધ હતી. અહીંથી મોટી સંખ્યામાં આહત સિક્કા મળ્યા છે. એરણની વ્યાપારિક-આર્થિક શ્વેણીઓ એ મુદ્રા બહાર પાડી હતી. એરણની બુદ્ધગુપ્ત અભિલેખ મળ્યો છે.અને સૌથી મહત્વપૂર્ણ ૫૧૦ ઈ.સ. નો ભાનુગુપ્ત અભિલેખ છે. જેનાથી પ્રાચીન ભારતમાં સ્તીપ્રથાનું પ્રચલનનો પ્રથમ પુરાતાત્વિક સાક્ષ્ય મળે છે. એરણથી જે વરાહમૂર્તિ મળી છે. તેનાથી તોરમાણ તથા હુનોના આધીન એરણ નું શાસિત થવાનું પ્રણામ મળે છે. એરણ થી ગુપ્તકાલીન મંદિર પણ મળે છે, નરસિંહ મંદિર વગેરે.
[41] ગોપ:
ગોપ ગુજરાતમાં આવેલ છે. અહી પાંચમી તથા સાતમી શતાબ્દીના ઉત્તર શૈલીમાં નિર્મિત વિષ્ણુ નું મંદિર મળેલ છે. જે ઘણું ઉત્કૃષ્ટ છે.
[42] ગ્યાસપુર:
ગ્યાસપુર આધુનિક મહારાષ્ટ્ર તામ્રકાલીન સ્થળ ઈમામ ગામની પાસે આવેલ છે. અહી તામ્રકાલીન સભ્યતાના અવશેષો મળેલ છે.
[43] હડપ્પા:
હડપ્પા પાકિસ્તાનમાંપશ્વિમ પંજાબમાં રાવી નદી નાં સુકાયેલા માર્ગ પર આવેલ છે. સૈન્ઘવ સબ્યાતાના ક્ષેત્રમાં સૌપ્રથમ ઉત્ખનન હડપ્પામાં જ થયું હતું. સૈન્ઘવ સભ્યતાનું અન્ય નામ હડપ્પા સભ્યતાનું કારણ પણ એજ છે. હડપ્પા સૈન્ઘવ સભ્યતાનું વિકસિત નગર હતું. હડપ્પા થી વિશાલ ધાન્ય-કોઠાર, લિંગ-યોનિ ,તથા કબ્રસ્તાનના અવશેષોમાં મળ્યા છે. અહીંથી પાકેલી માટીથી બનેલ સ્ત્રીઓ ની મૂર્તિઓ પણ મોટી સંખ્યામાં મળી છે.
[44] હરવાન:
હરવાન મહારાષ્ટ્ર અને ગુજરાતી સીમા પર આવેલ છે. અહીંથી પરવર્તી હડપ્પા સભ્યતાના અવશેષ મળ્યાછે.
[45] કાર્લે:
કાર્લે અથવા કાર્લીપશ્વિમી દક્કનમાં મહારાષ્ટ્રમાં પુણાથી ૫૦ કિ.મી. દુર ઉત્તર-પશ્વિમમાં આવેલ છે. સાતવાહન યુગમાં દક્કાનમાં ઠોસ ચટ્ટાનો ને કાપી બૌદ્ધ ચૈત્ય તેમજ વિહારનું નિર્માણ ની શિલા વાસ્તુકલા વિકસિત થઇ હતી. કાર્લે નું ચૈત્ય તે શિલા વાસ્તુકલા નાં વિકાસનું સર્વોત્તમ ઉદા. છે. જેની શરૂઆત બીજી-પ્રથમ શતાબ્દી ઈ.પૂ. થી પણ માનવામાં આવે છે. આ લગભગ ૪૦ મી લાંબુ, ૧૫ મી પહોળું અને ૧૫ મી ઊંચું છે. કાર્લે નું ચૈત્ય ઘણા સ્તંભો થી યુક્ત એક વિશાળ ઓરડો છે. તેમાં બહારથી સૂર્ય નો પ્રકાશ આવવાની વ્યવસ્થા છે.
Post a Comment