[16] મહાબલીપુરમ:
તેને મામલ્લપુરમ પણ કહે છે. આ સ્થાન તામીલનાડુમાં મદ્રાસ થી ૪૦ મીલ દુર સમુદ્ર કિનારે આવેલ છે. સુદૂરદક્ષિણ માં શાસન કરવા વાળા પલ્લવ શાસકોના સમયમાં આ નગર પ્રસિદ્ધ સમુદ્ર બંદર તથા કલાનું પ્રમુખ કેન્દ્ર હતું. અહી કઠોર ચટ્ટાનો ણે કાપી મંડપ તથા એકાશ્મક મંદિર (MonolithikTempales) બનાવેલ છે . જેને ‘રથ’ કહેતા હતા. ચટ્ટાનો માંથી બનેલ રથો ને‘ સપ્તાપૈગોડા’ કહેવાય છે. જે મહાભારતના દ્રશ્યોનું ચિત્ર અંકિત કરે છે . તેના પર દુર્ગા, ઇન્દ્ર, શિવ-પાર્વતી, હરિહર, બ્રમ્હા, સ્કંદ તથા ગંગા વગેરેની મૂર્તિઓ ઉત્કીર્ણ છે.
[17] નાલંદા:
નાલંદા માં સાતમી શતાબ્દી માં એક વિશ્વ વિખ્યાત બૌદ્ધ વિદ્યાપીઠ(વિશ્વવિદ્યાલય) હતું. આ નગર સંપ્રતિ દક્ષિણ બિહારમાં રાજગિરી(રાજગૃહ) ની નજીક છે. આ ચોક્કસપૂર્વક કહી શકાતુ નથી કે નાલંદા વિદ્યાપીઠ ની સ્થાપના ક્યારે અને કોણે કરી હતી. પરંતુ આ વિધ્યાપીઠે પંચમી અને છઠ્ઠી શતાબ્દીમાં એક વિશ્વવિદ્યાલય નાં રૂપમાં વિશેષ ખ્યાતી મેળવી હતી. સાતમી સદીના પૂર્વાધમાં ભારત ભ્રમણ કરવા વાળા ચીની બૌદ્ધ યાત્રી હેવાન-સાંગ એ લખ્યું છે કે ગુપ્ત સમ્રાટ નરસિંહ ગુપ્ત બાલાદિત્ય(લગભગ 470 ઈ.) એ નાલંદા માં એક સુંદર મંદિરનું નિર્માણ કરાવ્યું અને તેમાં ૮૦ ફૂટ ઊંચી તાંબાની બુદ્ધ પ્રતિમા સ્થાપિત કરી. હેવાન-સાંગ દ્વારા અહી બૌદ્ધ સાહિત્યનું અધ્યયન કરતા સમયે બૌદ્ધ ભિક્ષુ શીલભદ્ર આ વિશ્વવિદ્યાલયનો કુલપતિ હતો. લગભગ આ સમયે શૈલેન્દ્ર શાશક બાલયુગદેવ એ તત્કાલીન મગધ શાસક દેવપાલની અનુમતિ થી નાલંદામાં એ આશયથી એક નવુ વિહાર નું નિર્માણ કરાવ્યું કારણ કે જાવા થી નાલંદા શિક્ષા પ્રાપ્ત કરવા આવવાવાળા ભિક્ષુઓને નિવાસ સુવિધા પ્રાપ્ત થઇ શકે. નાલંદા વિશ્વવિદ્યાલયમાં ભારત સિવાય તિબ્બત, ચીન, જાવા અને શ્રીલંકા થી અનેક વિદ્યાર્થી અને વિદ્વાન આવતા હતા. અહી દરેક પ્રકારની શિક્ષા અપાતી હતી તથા બૌદ્ધ ધર્મની મહાપાન શાખા નું અધ્યયન-અધ્યાપન વિશેષ રૂપથી થતુ હતું. અહીનું અનુશાસન કઠોર હતુ અને બધા પ્રશ્નો તેમજ સમસ્યાઓનું જાહેર વાદ-વિવાદ થતો હતો. 1303 ઇ.માં આ વિશ્વવિદ્યાલય ને મુસ્લિમ આક્રમણકારીઓએ ધ્વસ્ત કરી દીધો.
[18] પ્રતિષ્ઠાન (પૈથાન):
મહારાષ્ટ્ર પ્રાંતના ઔરંગાબાદ થી ૩૫ મીલ દક્ષિણ તરફ આ નગર પ્રાચીનકાળમાં મહત્વપૂર્ણ વ્યાપારિક તેમજ સાંસ્કૃતિક કેન્દ્ર હતું . ગોદાવરી નદીની ઉત્તરી તટ પર સ્થિત આ નગરના સંસ્થાપક પુરાણો મુજબ બ્રમ્હા માનવામાં આવે છે. યુનાની તેમજ રોમન લેખકોમાં એરિયન ‘પ્લીથાન’ ,ટોલેમી‘બૈથન’ તથા પેરીપ્લસનાં અજ્ઞાત લેખકે ‘પૈથાન’ કે‘પીથાન’ નામથીસંબોધિત કરેલ છે. આ સ્થાન તથા તેની આજુબાજુના ક્ષેત્રથી સાતવાહન સમયના લેખ તથા મુદ્દાઓ પ્રાપ્ત થવાથી વિદ્વાનોએ સાતાવાહાનોનું આદિસ્થાન પ્રતિષ્ઠાન માનેલ છે. પ્રથમ શતાબ્દીના અંતમાં સાતવાહનોએ પોતાના સામ્રાજ્ય ના પશ્વિમી ભાગની સુરક્ષા માટે એક બીજી રાજધાની પ્રતિષ્ઠાન માં સ્થાપિત કરી. તેનાથી આ નગરનું વ્યાપારિક મહત્વ પણ વધી ગયું. હાલનાં વર્ષોમાં થયેલ ઉત્ખનન માં પ્રતિષ્ઠાન થી માટીની મૂર્તિઓ, હાથીદાંત તથા શંખની વસ્તુઓ, માળાની ગુડીયા તથા ભવનોના ખંડેર મળેલ છે.
[19] પુરુષપુર:
વર્તમાન પાકિસ્તાન સ્થિત પેશાવર પ્રાચીન સમયમાં પુરુષપુર હતું. જેને કુષાણ શાસક કનિષ્કએ પોતાની રાજધાની બનાવી. કનિષ્કએ બૌદ્ધ ધર્મ સ્વીકાર્યા પછી અહી અનેક સ્તુપો અને વિહારો નું નિર્માણ કરાવ્યું. ૧3 માળનો એક વિશાલ સ્તુપ ‘કનિષ્કચૈત્ય’ નાં નામથી પ્રસિદ્ધ હતો. પુરુષપુરમાં અનેક કવિ તેમજ બૌધ વિદ્વાન નિવાસ કરતા હતા. જેમાં પ્રમુખ- અશ્વાઘોષ, વાસુમિત્ર, અસંગ, નાગાર્જુન તથા ચરક વગેરે. ઘણા વિદ્વાન પર્પુરુશને ચોથી બૌદ્ધ સંગિની નું ક્રેન્દ્ર સ્થળ પણ માને છે. આ નગર ગાંધાર કલાનું પણ મહત્વપૂર્ણ કેન્દ્ર હતું. જેમાં બુદ્ધ તથા બોધિસત્વોની અનેક મૂર્તિઓ નું નિર્માણ કર્યું હતું.
[20] રાજગૃહ:
સમ્પ્રતિ બિહારમાં પટના જીલ્લાના અંતર્ગત આધુનિક રાજગીર નામક નાના નગરનું પ્રાચીન નામ રાજગૃહ હતું. તેનું નામ ગિરિવ્રજ પણ મળે છે. આ નગર ચતુર્દિક પહાડીઓ થી ઘેરાયેલું હતું. તેનીનામ ગિરિવ્રજ પણ મળે છે. આ નગર ચતુર્દિક પહાડીઓ થી ઘેરાયેલ હતું. તેની સ્થાપનાનો શ્વેયમગધના પ્રથમ ઐતીહાસિક શાસક હર્યક વંશીયબિમ્બિસાર ણે આપવામાં આવે છે. તેના પુત્ર અજાતશત્રુએતેને પોતાની રાજધાની બનાવી હતી. બુદ્ધ નાં મહાપરિનિર્વાણ નાં થોડા મહિનામાં અહી પ્રથમ બૌદ્ધ સંગિતી નું આયોજન કર્યું હતું. નગરના ઉત્તરમાં સ્થિત ‘ગૃધ્ધ્કૂટ’ નામક પ્રસિદ્ધ પહાડી પર ગૌતમ બુદ્ધે પોતાના જીવન કાળમાં નિવાસ કરતા હતા. આ નગરની નજીક પૌરાણિક શાસક જરાસંઘ ની રાજધાનીના ઘણા અવશેષો મળ્યા છે. મગધ રાજાઓ રાજધાની પાટલીપુત્ર બની ગયા પછી રાજ્ગૃહનું મહત્વ સમાપ્ત થઇ ગયું અને ગુપ્તકાળ સુધીમાં આ નગર વિરાન થઇ ગયું. અત્યારે આ સ્થાન ગરમ પાણીના ઝરા ને લીધે વધુ પ્રસિદ્ધ છે.
[21] રત્નગિરી:
રાજગૃહ(બિહાર) ની નજીક સપ્તપર્વતો માંથી એકનું નામ રત્નગિરીછે.તેનું શિખર ચપટું છે.આ કેલુઆ નામક નાની પહાડી નદીના પૂર્વી તટ પર સ્થિત છે. અહી એક બૌદ્ધ સ્તુપના ભગ્નાવશેષ પણ છે.
[22] સિતન્નવલાસ:
આ સ્થાન તમિલનાડુના તંજૌર જિલ્લના પુદૂકોટ્ટા નામક સ્થાનથી 16 કિ.મી. પશ્વિમોત્તર સ્થિત છે. જેશૈલગુફા મંદિરો માટે પ્રસિદ્ધ છે. સિતન્નવલાસ શબ્દ થી અભિપ્રાય જૈન મુનિઓથી સંબંધિત ‘સિધ્ધો નો નિવાસ’ થી છે. આ કથન ની વ્યાખ્યા અહીંથી પ્રાપ્ત ત્રીજી શતાબ્દી ઈ.પૂ. નાં બ્રામ્હી અભિલેખ થી પણ થાય છે. જે મુજબ આ શૈલ ગુફાઓ જૈન મુનીઓ ના નિવાસ હેતુ બનાવી હતી. આ ગુફાઓમાં ઉત્કૃષ્ટ ભિતિચિત્રોના અવશેષો છે. અહીના ભિતિચિત્રોની શોધ ફ્રાંસિસી શોધકર્તા દુબ્રીલને કરી હતી. આ ભિતિચિત્રો ને થોડા સમય પહેલા પલ્લવ ચિત્રકલા નાં અવશેષ માનવામાં આવતાં હતાં પરંતુ એ તથ્ય પ્રકાસમાં આવ્યું છે કે આ પલ્લ્વકાલીન ના હોય ણે તે પાંડયકાલીન છે અને તે માર્તંડવર્મન રાજસિંહ પ્રથમ (૭૨૦-૭૬૫) એ બનાવ્યું હતું.
[23] શ્વાવસ્તી:
બુદ્ધ કાળનું પ્રસિદ્ધ રાજતંત્ર કૌસલ રાજ્યની રાજધાની જ્યાં ગૌતમ બુદ્ધ અનેક વાર ઉપદેશ આપવા આવ્યા હતા. નવમી સદી સુધી આ નગરની પ્રસિદ્ધિ બની રહી. આની ઓળખ ગોંડા જીલ્લા (ઉ.પ્ર.) માંશપ્તીનદી(પ્રાચીન નામ અચિરાવતી) નાં કિનારે સ્થિત આધુનિક ‘સફેટ-મહેટ’ ગ્રામ થી કરાય છે. બુદ્ધના સમયમાં અહીંનો શાસન પ્રસેનજીત હતો. બોદ્ધ ધર્મનો પ્રચાર શ્વાવાસ્તીમાં સૌથી વધુ થયો.શ્વાવાસ્તી માં ત્રણ પ્રસિદ્ધ વિહાર હતા. જેતવત, પુર્વારામ અને મલ્લીકારામ. જેતવત પહેલા બગીચો હતો જેને શ્વાવાસ્તીના શ્વેષ્ઠી અનાથાપીંડકએ ખરીદી બૌદ્ધ સંઘને દાન કર્યું અને ત્યાં વિહાર બનાવ્યું, જે તત્કાલીન સમયમાં બુદ્ધનું પ્રિય નિવાસ સ્થળ હતું.
[24] શ્વવણબેલગોલા:
જૈન તીર્થ સ્થળ નાં રૂપમાં વિખ્યાત શ્વવણબેલગોલા કર્ણાટક(મૈસુર) પ્રાંતમાં ચંદ્રગિરિ તથા ઇન્દ્રગિરિ પહાડી ની મધ્યમાં સ્થિત છે. જૈન અનુશ્વૃતિ મુજબ ચંદ્રગુપ્ત મૌર્ય પોતાના જીવનમાં અંતિમ સમયમાં જૈન આચાર્ય ભદ્રબાહુ નો શિષ્ય બની ગયો અનેસિંહાસન ત્યાગી આ સ્થાન પર આવ્યો.ચન્દ્રગુપ્તે અહી ઉપવાસ (સલ્લેખન) દ્વારા પોતાના શરીરનો ત્યાગ કર્યો. દસમી શતાબ્દીમાં ગંગ શાસકોએ અહી ૫૭ ફૂટ ઉંચી ગોમતેશ્વરની વિશાલ પાષાણ પ્રતિમા નિર્મિત કરાવી હતી. આજે પણ અહી બાહુબલી ની સ્મૃતિમાં ‘મહામસ્તકાભિષેક’ સમારોહ નું આયોજન થાય છે.
[25] સુલ્તાનગંજ:
વર્તમાન બિહારના ભાગલપુર જીલ્લામાં ગંગા નદીના કિનારે સ્થિત છે. અહીં બૌદ્ધ વિહારો તથા એક સ્તુપના અવશેષ મળેલ છે. પરંતુ સર્વાધિક મહત્વપૂર્ણ અહીંથી નાલંદા શૈલીમાં ગુપ્તકાલીન તામ્ર બુદ્ધ મૂર્તિ મળી છે જે બ્રિટન નાં સંગ્રહાલય માં રાખેલ છે.
[26] સુરકોટડા:
ગુજરાત નાં કચ્છ જીલ્લામાં અર્દેસરથી 12 કિ મી ઉત્તર-પૂર્વમાં સૈઘવ સભ્યતાનું મહત્વપૂર્ણ સ્થળ સુરકોટડાની શોધ શ્રી જગપતી જોષી એ ૧૯૬૪માં કરી અને તેનું ઉત્ખનન પણ તેમનાંનિર્દેશન માં કર્યું. અહી શવાધાન(અસ્થિ-કળશ) મળે છે. અહીં નાં ત્રીજા ચરણ થી ઘોડાની અસ્થિઓ મળી છે.
[27] તક્ષશિલા:
એક અતિ પ્રાચીન નગર છે. જે વર્તમાન પાકિસ્તાનના પશ્વિમી પંજાબમાં રાવલપિંડી થી ઉત્તર-પશ્વિમી 20 મીલ દુર સરયાકલા નામક રેલ્વે સ્ટેશન નજીક છે. સિકંદર નાં આક્રમણ સમયે (૩૨૪-૩૨૩ ઈ.પૂ.) અહી રાજા આમ્ભી ની રાજધાની હતી. પ્રાચીન કાળમાં તાક્ષ્શીલામાં એક વિશ્વ વિખ્યાત વિશ્વવિદ્યાલય હતું. જ્યાં અધ્યયન માટે દુર-દુરથી વિદ્યાર્થી આવતા હતા. અહી શિક્ષા પ્રાપ્ત કરવા વાલા પ્રમુખ –કૌશલ નાં રાજા પ્રશેનજીત, બિમ્બિસારના ચિકિત્સક જીવક, ચાણક્ય તથા વસુબંધુ વગેરે મૌર્યકાળમાં આ ઉતરાપથની રાજધાની હતી. મૌર્યો પછી અહીં હિન્દ-યુનાની ,શક તથા કુષાણ રાજાઓનું શાસન રહ્યું. ચોથી સદીમાં અહીં ગુપ્ત રાજાઓનો અધિકાર થઈ ગયો. ત્યારબાદ હુણો નાં બર્બર આક્રમણો અહી પ્રાચીન સભ્યતા તેમજ સંસ્કૃતિ નષ્ટ કરી દીધી. અગિયારમી શતાબ્દીની શરૂઆતમાં માંમુદ ગજનવીએ પંજાબ વિજય પછી તક્ષશિલા નું મહત્વ ઓછું થઇ ગયું.
[28] વલ્લભી:
એક પ્રાચીન નગર તેમજ રાજ્યનું નામ, જેની સ્થાપના પાંચમી શતાબ્દી મૈત્રક વંશીય ભટ્ટાર્કે કરી હતી. આ મૈત્રકોની રાજધાની હતી. તેની ઓળખ ગુજરાતના કાઠિયાવાડ ક્ષેત્રમાં આધુનિક ‘વલ’ નામક સ્થાનથી કરાય છે. જે બાલાઘાટ ગામના નામથી ઓળખાય છે. અહીં પ્રથમ રાજા દ્રોણસિંહ હતો. જેને મહારાજા ની પદવી ધારણ કરી હતી અને છઠ્ઠી શતાબ્દીની શરૂઆત માં શાસન કર્યું હતું.૭૭૦ માં અરબ આક્રમણકારીઓ એ આ નગરને નષ્ટ કરી દીધું ધન-ધાન્ય થી સમૃદ્ધ આ નગરમાં અનેક ખ્યાતી પ્રાપ્ત બૌદ્ધ વિદ્વાન પણ રહેતા હતા. આ વિદ્યા નું મહત્વ નું કેન્દ્ર હતું. જે સાતમી શતાબ્દીમાં નાલંદાના સમાન પ્રસિદ્ધ હતું. વલ્લભી માંજ જૈન ધર્મની ત્રીજી મહાસભા દેવર્ધિમહાશ્વવણ ની અધ્યક્ષતામાં સંપન્ન થઇ હતી જેમાં જૈન આગમોનું સંકલન થયું હતું.
[29] વિદિશા:
એક પ્રાચીન ઐતિહાસિક નગર,જેભિલસા નાં નામથી પણ વિખ્યાત હતું.આ સ્થાન આધુનિક મધ્યપ્રદેશ રાજ્યના સાંચી ની નજીક સ્થીત છે. શુંગ કાળમાં આ તેમના સામ્રાજ્યની પશ્વિમી રાજધાની હતી. તે સમયે અહી વૈષ્ણવ ધર્મનો પ્રભાવ હતો. પાલિગ્રંથોમાં તેને વેદિસનગર,વેદિસા તથા વિદિસપણ કહેવાય છે.
[30] અખનુર:
આ કાશ્મીરમાં આવેલ છે. આથમી થી દસમી શતાબ્દીની વચ્ચે આ સ્થળ સામંતી મુખ્યાલય તેમજ ધાર્મિક કેન્દ્ર નાં રૂપમાં પ્રખ્યાત હતું. અહીં માટીની મૂર્તિઓનો એક ભંડાર મળ્યો છે. જેની સમીક્ષા કર્યા પછી ઈતિહાસકારો નું માનવું છે કે આ મૂર્તિઓ સામંતવાદી કલાનું અર્થાર્ત સમૃદ્ધ કલાનું પ્રતિનિધિત્વ કરે છે.
Post a Comment