[1] અહરાર:
ઉત્તરપ્રદેશ રાજ્યના મિર્ઝાપુર જીલ્લામાં સ્થિર અહરાર, મહાન મૌર્ય સમ્રાટ અશોક દ્વારા સ્થાપિત લઘુ શિલાલેખ (Minor Rock Edicts) મળ્યાના કારણે પ્રસિદ્ધ છે. પ્રાચીન સમયમાં પ્રમુખ વ્યાપારિક કેન્દ્ર પણ હતું.
[2] એહોલ:
સમ્પ્રતિ આ સ્થાન આધુનિક કર્ણાટક રાજ્યના બીજાપુર જીલ્લામાં સ્થિત છે, અહી ચાલુક્ય શાસક પુલકેશીન દ્રિતીય નો એક અભિલેખ મળ્યો છે.જે પ્રશતિપત્રના રૂપમાં છે. જેનો સમય 634 ઈ.સ.છે અને તેની રચના ભારવી અને કાલિદાસ ની શૈલી નાં આધાર પર રવિકીર્તિ દ્વારા કરેલ છે. જેમાં પુલકેશીન દ્રિતીયની એહોલ કળા અને સ્થાપત્ય નું પ્રમુખ કેન્દ્ર બની ગયું હતું. ‘મંદિરોનું નગર’ કહેવાતુ આ સ્થાન થી 70 મંદિર માં સર્વાધિક પ્રભાવશાળી‘લાઢખાં’ નામક સૂર્યમંદિર છે. તેના સિવાય ‘દુર્ગા મંદિર‘ છે. જેમાં નટરાજ શિવની મૂર્તિ પણ છે. એહોલ માં રવિકીર્તિએ જીનેય નું મંદિર બનાવ્યું હતું , જેને ‘મેગુતી મંદિર’ કહે છે . અહીની ગુફાઓમાં જૈન તીર્થંકરોની મૂર્તિઓ પણ મળે છે. એહોલ ના મંદિરોનું નિર્માણ ગુફા ચૈત્યો નાં અનુકરણ પણ કરેલું છે.
[3] આલમગીરપુર:
સૈંઘવકાલીન આ સ્થળ ઉત્તર પ્રદેશ ના મેરઠ જીલ્લામાં યમુનાની સહાયક હિંડન નદિના તટ પર આવેલ છે. પુરતાત્વિક ઉત્ખનનમાં આ સ્થળ થી હડપ્પાકાલીન માનવ અસ્થિઓ તથા મણકાના અવશેષ મળ્યાં છે . આ અવશેષો થી નાસ પામેલ હડપ્પા સભ્યતાનું જ્ઞાન પ્રાપ્ત થાય છે. આલમગીરપુર સિવાય સહારનપુર જિલ્લા (પશ્ચિમી ઉત્તરપ્રદેશ) માં સ્થિત હુલાસ તથા બડાગાંવ ની ગણના પાશ્વની સિંધુ સભ્યતાના પુરાસ્થલો તરીકે થાય છે.
[4] અમરાવતી:
વર્તમાન આંધ્રપ્રદેશ ના ગંટુર જીલ્લાનું એક નગર. જે કૃષ્ણા નદીના તટ પર આવેલ છે. સાતવાહન રાજા શતકર્ણી પ્રથમે અહિં પોતાની રાજધાની સ્થાપિત કરી હતી. સાતવાહન સમયમાં આ પ્રસિધ્ધ સાંસ્કૃતિક તેમજ આર્થિક કેંદ્ર હતુ. અમરાવતીમાં કલા, વાસ્તુકલા અને મુર્તિકલા ની સ્થાનીય મૌલિક શૈલી વિકસિત થઈ હતી. અમરાવતીથી પ્રાપ્ત મુર્તિની કૌસલતા અને ભવ્ય ભંગીમા દર્શનીય છે. તેમાં ઝાડ–છોડ ફુલો (વિશેષ કમળ) ને સુંદર રીતે ઉત્કિર્ણ કરેલ છે. જેનાથી ખ્યાલ આવે છે કે આ શૈલી મથુરા અને ગાંધાર શૈલીઓથી પહેલી છે. આ યુનાની પ્રભાવથી પૂર્ણ મુક્ત છે. સાતવાહન સમયમાં અહિં પ્રસિધ્ધ બૌધ્ધ સ્તુપનું નિર્માણ થયુ હતું. સાતવાહન સમયમાં અહિં પ્રસિધ્ધ બૌધ્ધ સ્તુપનું નિર્માણ થયું હતું. જે 13 મી સદી સુધી અનેક બોધ્ધ યાત્રિઓનું આકર્ષણ બન્યું હતું. સમયાંતરે સ્તુપ નષ્ટ થઈ ગયો. તેનાં અવશેષ કલકત્તા, મદ્રાશ અને લંડનના સંગ્રહાલયોમાં સુરક્ષિત છે. આ સ્તુપની શોધ સર્વપ્રથમ 1797 માં મેકેંઝી મહોદયે કરી હતી. ધાર્મિક કેન્દ્ર ની સાથે અમરાવતી વ્યાપારિક નગર પણ હતું . સમુદ્ર થી કૃષ્ણા નદીના રસ્તે અનેક વ્યાપારિક નગર પહ હતા. આંધ્ર સાતવાહન રાજાઓ પછી અમરાવતી લાંબા સમય સુધી ઈશ્વાકુ રાજાઓની રાજધાની બની હતી. પછી આ મહત્તા નાગાર્જુનીકોન્ડા એ પ્રાપ્ત કરી.
[5] અનુરાધાપુર:
પ્રાચીન સમયમાં આ શ્રીલંકાની રાજધાની હતી. મૌર્ય સમ્રાટ અશોકના સમકાલીન શ્રીલંકા નાં રાજા તીસ્સ નાં સમયમાં અશોક નો પુત્ર મહેન્દ્ર એક બોદ્ધ પ્રચાર દળ સાથે આવ્યો હતો.
[6] અફસાઢ:
બિહાર નાં ગયા જીલ્લામાં નવાદા નાં ઉત્તર-પૂર્વ લગભગ ૧૫ મિલ દુર અફસાઢ એક ગામ હતું. જેનો ઉલ્લેખ મગધના ઉત્તરાવર્તી ગુપ્ત શાસક આદિત્ય સેન ના એક અભિલેખમાં થયો છે. અહી લગભગ છઠ્ઠી શતાબ્દીની આસ-પાસ નિર્મિત એક વિશાલ મંદિરના અવશેષ છે. જેની દીવાલો પર રામાયણ નાં દૃશ્ય ચિન્હિત કરેલ છે.
[7] બાદામી:
આધુનિક કર્ણાટક રાજ્યના બીજાપુર જીલ્લામાં સ્થિત વર્તમાન બાદામી પ્રાચીન સમયમાં વાતાપી હતું . આ નગર ચાલુક્ય રજાઓની રાજધાની હતી. જેની સ્થાપના પુલકેશીન પ્રથમે(535-566) એ કરી હતી અને અહી એક સુદ્રઢ કિલ્લો બનાવ્યો હતો . આઠમી સદીની મધ્યમાં તેના પર રાષ્ટ્રકૂટોનો અધિકાર થઇ ગયો. વાતાપી હિંદુ, બોદ્ધ અને જૈન ધર્મોનું સુવિખ્યાત કેન્દ્ર હતું. અહીચાલુક્ય શાસકોએ અનેક નિર્માણ કરાવ્યા. અહી એક વૈષ્ણવ ગૃહો છે. જેના બ્રમ્હામાં વિષ્ણુની બે મૂર્તિઓ-અનંતશાથી અને નૃસિંહ રૂપમાં મળે છે. ગુફાઓની દીવાલો પર સુંદર ચિત્રકારી કરેલ છે.
[8] ભગવાનપુરા:
આ સ્થાન વર્તમાન હરિયાણા રાજયના કુરૂક્ષેત્રમાં એક નાના ગામ એ છે. ૧૯૭૫ માં કરેલ ઉત્ખનન માં અહીંથી હડપ્પાકાલીન સભ્યતાનું શાક્ષ્ય મળે છે. અહી એક સ્તર થી હડપ્પાકાઓ અને આર્યોના સાક્ષ્ય મળવાથી એ પ્રમાણિત થાય છે કે ક્યારેક તે એકજ વસ્તીમાં રહેતા હતા.
[9] ગિરનાર:
ગુજરાત પ્રાંતનાં કાઠીયાવાડ ક્ષેત્રના જુનાગઢ જીલ્લામાં સ્થિત ગિરનાર અથવા ગિરિનગર પ્રાચીન ભારતનું એક પ્રમુખ તીર્થસ્થળ હતુ. અહીં એક ચટ્ટાન પર મૌર્ય સમ્રાટ પર મૌર્ય સમ્રાટ અશોકનાં ચતુર્દશ શિલાલેખ ઉત્કીર્ણ છે. આ ચટ્ટાનની બીજી બાજુ શક ક્ષત્રપ રુદ્રદામનનો સંસ્કૃત ભાષામાં પ્રથમ અભિલેખ (ઈ.પુ. 273-232) કાઠીયાવાડ અભિલેખ ,કાવ્ય શૈલી પણ ઉત્કીર્ણ છે, જેમાં પ્રથમ મૌર્ય સમ્રાટ ચંદ્રગુપ્ત (ઈ.પુ. 150) ના આદેશ પર તેના રાજ્યપાલ પુશ્યગુપ્ત વૈશ્ય દ્વારા બનાવેલ સુદર્શન ઝીલ નો ઉલ્લેખ છે. આ ઝીલનાં બાંધની મરમ્મત રુદ્રદામનના સમયમાં થઇ હતી. ગિરનારથી ગુપ્ત શાસક સ્કંધગુપ્ત નો પણ અભિલેખ મળે છે. જેનાથી જ્ઞાત થાય છે કે સુદર્શન ઝીલનો બાંધ ફરીથી તુટવાથી તેના રાજ્યપાલ પર્ણદત્ત ના પુત્ર ચક્રપાણીતે તેનું પુનઃ નિર્માણ કરાવ્યું હતું . ગિરનારની પહાડી પર અનેક જૈન મંદિર છે. જેમાં તીર્થંકર નેમિનાથ નું મંદિર વિખ્યાત છે. આ મંદિરો ચાલુક્ય રાજાઓએ બનાવ્યા હતા.
[10] જૌગડ:
આધુનિક ઉડીસા રાજ્યના ગંજામ જીલ્લામાં સ્થિત છે. અહિં એક ચટ્ટાન પર અશોકનો શિલાલેખ ઉત્કિર્ણ છે. અશોકે કલિંગ યુધ્ધ ઉપરાંત તેના પર અધિકાર કરી લીધો હતો. અહિંના લેખમાં અશોક દ્વારા ન્યાય પ્રશાસન ના ક્ષેત્રમાં કરેલ સુધારોનું વિવરણ સુરક્ષિત છે. તેમાં ન્યાયાધિશો, જેમને નગર વ્યાવહારિક કહેવાય છે, નો નિર્દેશ કરેલ છે.
[11] કૌશામ્બી:
વર્તમાન ઈલાહાબાદ (પ્રયાગ, ઉ.પ્ર.) ના દક્ષિણ-પશ્વિમમાં લગભગ 33 મીલ દુર સ્થિત ‘કોસમ’ નામક સ્થાન પ્રાચિન સમયમાં કૌસામ્બી ના નામથી ઓળખાતું હતું. આ નગર યમુના ના તટે વસેલુ હતું. પુરાણો મુજબ હસ્તિનાપુર ના રાજાએ હસ્તિનાપુર ગંગા ના પ્રવાહમાં નષ્ટ થઈ ગયા પછી આ નગરથી સ્થાપના કરી હતી. પાંચમી-છઠ્ઠી ઇ.પૂ. માં કૌશામ્બી વત્સ રાજ્યની રાજધાની હતી. જ્યાં નો શાસક ઉદ્દયન હતો. ગૌતમ બુધ્ધે આ નગરમાં અનેક ઉપદેશ આપ્યા હતા. અહિં અનેક વિહારોમાં પ્રમુખ-ઘોષિતારામ તેની નજીક અશોક નો સુપુત્ર સ્તુપ હતો. અશોકે અહિં સ્તંભલેખ પણ ઉત્કિર્ણ કરાવ્યા હતાં. બૌધ્ધ ધર્મનું કેંદ્ર હોવાની સાથે કૌશામ્બી એક વ્યાપારિક નગર પણ હતું. મૌર્યકાલમાં પાટલીપુત્ર નું મહત્વ વધવાથી કૌશામ્બી નું ગૌરવ ઓછું થયું અને ગુપ્ત યુગ સુધીમાં વિરાન થઈ ગયુ હતું. કનિંઘન મહોદયે સૌ પ્રથમ 1861 માં યાત્રા કરી. 1936-37 માં એન.જી. મજુમદાર એ અહિં ઉત્ખનન અભિયાન ચલાવ્યું, જેથી પુરાતાત્વિક મહત્વની અનેક વસ્તુઓ પ્રાપ્ત થઈ.
[12] ખંડગિરિ:
ઉદયગિરિ : ઉડિસાની રાજ્ધાની ભુવનેશ્વર થી 7 મીલ ઉત્તર-પશ્વિમમાં ઉદયગિરિ નામક સ્થાનની નજીક પહાડીઓની શ્વ્રુંખલામાં 123 ફુટ ઉંચી ખંડગિરિની ગુફાઓ જૈન સમ્પ્રદાય થી સંબંધિત છે . આ ગુફાઓનું નિર્માણ સંભવત: પ્રથમ શતાબ્દી ઈ.પુ. કરી હતી.
[13] કુશીનગર:
પુર્વી ઉત્તર-પ્રદેશ ના દેવરિયા જીલ્લામાં સ્થિત વર્તમાન કસાયા નામક સ્થાન બુધ્ધકાલમાં કૂશીનારા પણ કહે છે. મહાત્મા ગૌતમ બુધ્ધે કુશીનગરની અનેક વાર યાત્રા કરી હતી. તે અહિં શાલવન નામક વિહારમાં રોકાતા હતા. આ સ્થાન પર 483 ઈ.પૂ. માં તેમને મહાપરિનિર્વાણ પ્રાપ્ત થયું. મલ્લોએ બુધ્ધ ના અસ્થિ(અવશેષો) નો એક ભાગ પ્રાપ્ત કરી રાજધાની (કુશીનગર) માં તેના ઉપર એક સ્તુપનું નિર્માણ કરાવ્યું હતું બુધ્ધ ના નિર્વાણથી સંબંધિત હોવાથી આ સ્થળ બૌધ્ધોનું મહાન તીર્થ બની ગયું. તત્કાલીન મગધ નરેશ અજાતશત્રુ કુશીનગર પર આક્રમણ કરી તેને જીતી લિધું અને પોતાના રાજ્યમાં ભેળવી દિધું. તેની સાથે જ મલ્લ ગણરાજ્યનું અસ્તિત્વ પણ સમાપ્ત થઈ ગયું અશોકે પણ અહિં સ્તુપ અને વિહાર બનાવ્યું હતું. ગુપ્તોના સમય સુધી કુશીનગર નું મહત્વ બની રહ્યું ત્યારબાદ ઘટતું ગયું. કનિંઘમ ના પ્રયાસથી 1876 માં તેનો જીણોદ્વાર થયો. અહિંના જુના ટીલના ઉત્ખનનમાં સ્તુપ, વિહાર અને મંદિરના અવશેષો મળ્યા છે. આજે પણ આ સ્થાન બૌધ્ધ અનુનાયાયીઓની શ્વ્રધ્ધા નું કેન્દ્ર બનેલ છે.
[14] કોટદિજી:
સિંધુ સભ્યતા નું સ્થળ કોટદિજીકોતાદીજી વર્તમાન પાકિસ્તાન નાં સિંધ પ્રાંતનાં ખૈરપુર નગર થી ૨૪ કિ.મી. દક્ષિણ માં તથા મોહેંજો-દરો થી ૪૦.૨૪ કિ. મી. પૂર્વમાં સ્થિત છે.૧૯૩૪ માં તથા પ્રો. ધુરીયે ણે અહીંથી માટીના વાસણ(મુદભાંડ) પ્રાપ્ત થયા હતા. પાકિસ્તાન પુરાતત્વ વિભાગના નિર્દેશક ફઝલ અહમદ ખાં નાં નિર્દેશન માં વર્શે૧૯૫૫-૫૭ માં અહીં કરાવેલ ઉત્ખનન માં હડપ્પા સભ્યતાની નીચે એક અન્ય સભ્યતાના અવશેષ મળ્યા, જેને કોટદિજી સંસ્કૃતિ નામ આપ્યું. પુરાતાત્વિક અવશેષો ને જોયા પછી એવું જણાય છે કે કોટદિજી નીપાક સૈન્ઘવ વસ્તી અગ્નિકાંડ માં નષ્ટ થઇ ગઈ અને સમયાંતરેઆ સ્થાન પર સિંધુ સભ્યતાનાલોકો વસ્યા.
[15] લુમ્બિની:
સંપ્રતિ આ સ્થાનની ઓળખ ગોરખપુરજીલ્લાનાનૌતનવાથી 10 મીલદુર નેપાળ ની સીમાની અંદર સ્થિત ‘રૂમ્મિન્દદેઇ’ નામક સ્થાન થી કરાય છે. તેની પાસે કપિલવસ્તુ આવેલ છે. લુમ્બિની માં જ ૫૬૩ ઈ.પૂ. માં મહાત્મા બુદ્ધ નો જન્મ થયો હતો. મૌર્ય શાસક અશોકે પોતાના રાજ્યાભિષેક નાં વીસમા વર્ષે આ સ્થાનની યાત્રા કરી હતી અને બુદ્ધ નાં જન્મ સ્થાન પર એક શિલાસ્તંભ સ્થાપિત કર્યો હતો. જે બુદ્ધ નાં જન્મ સ્થાન પર એક શિલા સ્તંભ સ્થાપિત કર્યો હતો. જે અત્યારે પણ છે. આ સ્થાનની પવિત્રતા નું સમ્માન કરતા અશોકે અહી બધા જ પ્રકારના બલિ(કર) થી મુક્ત જાહેર કર્યું હતું . સાથેજ અહી ભૂમિકર, ભૂમિ ની ઉપજ ના છઠ્ઠા ભાગની જગ્યાએ ઓછો કરી આઠમો ભાગ નક્કી કર્યો હતો.
Post a Comment