Mother Teresa International Award, 2016
20મી જાન્યુઆરી ૨૦૧૬ ના રોજ JW Marriot, Mumbai માં,
કોને મળ્યો? :- Shaikh Abdullah Bin Zayed Al Nahyan
UAE Minister of Foreign Affairs & International Cooperation.
એવોર્ડ આપનાર સંસ્થા :- મુંબઈ સ્થિત NGO “Harmony Foundation” દ્વારા
આ સંસ્થાનો સંસ્થાપક:- "અબ્રાહમ મથાઈ"
શેના માટે આપ્યો? :- પશ્ચિમ એશિયામાં શાંતિ અને સ્થિરતા ને પ્રોત્સાહન આપવા બદલ તથા યુવાનોને પ્રવૃતિઓથી દુર રાખવાનો પ્રયત્ન કરવા બદલ.
- બીજો એવોર્ડ બાંગ્લાદેશી હોસ્ટેજ “Faraaz Ayaan Hossain” ને મળ્યો જેનું ઢાકા ના હોલી કાફે પર ૧લી જુલાઈ ૨૦૧૬ ના રોજ થયેલ આતંકવાદી હુમલા માં મોત થયું. આ પ્રથમ વ્યક્તિ છે જેને મરણોત્તર એવોર્ડ આપવામાં આવ્યો છે.
Mother Teresa International Award વિષે માહિતી.
- એવોર્ડ ની શરૂઆત “Harmony Foundation” દ્વારા વર્ષ ૨૦૦૫ માં થઇ.
- આ એવોર્ડ શાંતિ, સ્થિરતા, સામાજિક ન્યાય અને સમાનતા ને પ્રોત્સાહન આપનાર વ્યક્તિ ને કે સંસ્થા ને આપાય છે.
Jagdish Singh Khehar Appointed as Executive Chairman of NALSA.
NALSA (National Legal Service Authority)
૧૮ મી નવેમ્બર ૨૦૧૬ ના રોજ ભારત સરકાર દ્વારા સર્વોચ્ચ ન્યાયાલય ના ન્યાયાધીશ " જગદીશ સિંહ ખેહર " ની NALSA ના કાર્યકારી અધ્યક્ષ (Executive Chairman) તરીકે નિમણુક કરવામાં આવી.
NALSA (National Legal Service Authority) વિષે ટૂંક માં માહિતી:-
- "Legal Services Authorities Act,1987" હેઠળ NALSA ની સ્થાપના થઇ.
- ૫ મી ડિસેમ્બર ૧૯૯૫ ના રોજ સ્થાપના થઇ.
- NALSA નો હેતુ:-
મફત કાનૂની સહાય,
ઝડપી ન્યાય માટે લોક અદાલતની સ્થાપના કરવી,
ન્યાયતંત્ર પરથી કેસોનો બોજ ઘટાડવો.
અધ્યક્ષ કોણ હોય? :- ભારતના મુખ્ય ન્યાયાધીશ ( ટી. એસ. ઠાકુર )
કાર્યકારી અધ્યક્ષ કોણ હોય? :- સર્વોચ્ચ ન્યાયાલય નો વરીષ્ઠતમ ન્યાયાધીશ (જગદીશ સિંહ ખેહર)
આ જ પ્રકાર ની સિસ્ટમ રાજ્ય સ્તરે અને જીલ્લા સ્તરે હોય છે.
GUJARAT GST (MIGRATION TO GST) Last Date:- 30 November,2016
Migration To GST
૧લી એપ્રિલ , ૨૦૧૭ થી GST ના કાયદાનું અમલીકરણ ચાલુ થાય છે અને તેના પ્રથમ ચરણ તરીકે, ગુજરાત રાજ્યના વેપારીઓ, જેઓ ગુજરાત VAT નંબર ધરાવે છે તેઓએ , નવા આવનાર GST કાયદામાં સ્થળાંતર ( Migration) કરવા માટે તા. ૩૦ મી નવેમ્બર ૨૦૧૬ સુધીમાં GSTN મેળવી લેવાનો રહેશે.
GST કાયદામાં બીજા ઘણા કાયદાઓ નો સમાવેશ થઇ રહ્યો છે, તેથી તેવા કાયદાઓ હેઠળ રજીસ્ટ્રેશન ધરાવનારે પણ GST કાયદા હેઠળ ફરજીયાત સ્થળાંતર થવાનું છે. તેથી તેઓએ પણ GST નંબર લેવો પડશે.
લુપ્ત થતા કાયદાઓ :-
નીચે આપેલ કાયદાઓ હેઠળ રજીસ્ટ્રેશન ધરાવનારાઓ નવો GSTN નંબર તા. ૩૦ મી નવેમ્બર ૨૦૧૬ સુધી માં ફરજીયાત લઇ લેવો જરૂરી છે.
(૧) સેન્ટ્રલ એકસાઈઝ ડ્યુટી
(૨) કસ્ટમ ડ્યુટી
(૩) સેન્ટ્રલ સેલ્સ ટેક્ષ એક્ટ
(૪) એન્ટ્રી ટેક્ષ
(૫) લક્સરી ટેક્ષ એક્ટ
(૬) એન્ટરટેઈનમેન્ટ ટેક્ષ એક્ટ
(૭) ગુજરાત વેટ એક્ટ
(૮) સર્વિસ ટેક્ષ એક્ટ
કેન્દ્રિય વેચાણવેરા કાયદા હેઠળ રજીસ્ટ્રેશન ધરાવનાર વેપારીઓએ અલગ થી અરજી કરવાની જરૂર નથી. કેન્દ્રીય GST અને રાજ્ય GSTની જવાબદારી માટે અલગ રજીસ્ટ્રેશન લેવાની જરૂર નથી. કેમ કે બંને પ્રકાર ના ટેક્ષ ભરવા માટે એક જ ચલણ ભરવાનું રહેશે.
વધુ માહિતી માટે અહી આપેલ લીન્ક પર ક્લિક કરો.........https://www.gst.gov.in/
User guide for Enrollment on GST portal gujarat........CLICK HERE
New Sonar System in Indian Navy
ભારતીય નૌસેના દ્વારા નવી ચાર પ્રકારની સોનાર પ્રણાલીને ઔપચારિક રીતે સામેલ કરવામાં આવેલ છે જેનાથી નૌસેના ની પાણીની અંદર અને કિનારા પર થતી ગતિવિધિઓ પર નજર રાખી શકાશે અને સચોટ રીતે માહિતી પ્રાપ્ત થઇ શકશે.
=> આ કાર્યક્રમ દરમિયાન હાજર રહેલ માહાનુભાવો
ભારતના સંરક્ષણ પ્રધાન : શ્રી મનોહર પારીક્કાર
નાવલ સ્ટાફ એડ્માઈરલ : સુનીલ લાન્બા
(1) અભય :- જે છીછરા પાણીમાં તથા કિનારા પર થતી હિલચાલ પર નજર રાખશે , જેનો ઉપયોગ કિનારા પર થતા પેટ્રોલિંગ માટે પણ મદદરૂપ બનશે.
(3) NACS(Near -field Acoustic Characterisation Syastem) :-
સમુદ્રની અંદર થતી ગતિવિધિઓની માહિતી તેમજ 3-D ટ્રાન્સમિશન અને રીસેપ્સન માટે
(4) AIDSS (Advanced Indigenous Distress SONAR System for Sub-marines):
આપાતકાલીન સિગ્નલિંગ માટે (જે સબમરીન મુશ્કેલીમાં હોય ત્યારે તેમાંથી જાતેજ આપાતકાલીન સિગ્નલ નીકળશે જે નજીકની તમામ સબમરીન અને જહાજો ને આપાતકાલીન માહિતી પૂરી પાડશે .
Just for Information:-
જે કેરાલા (કોચીન) માં આવેલ છે. જેની સ્થાપનાં ભારતીય નૌસેના દ્વારા ૧૯૫૨ માં સ્થાપના કરવામાં આવી હતી.
કાર્ય:- પાણીની અંદર થતી ગતિવિધિઓ પર નજર રાખવા માટે જરૂરી પ્રણાલીને બનાવવી.
(પાણીની અંદર જરૂરી તમામ પ્રકારની ટેક્નોલોજી બનાવવી.)
Post a Comment