Constitution of India (Constitutional Assembly) - One liner (1 to 25)

ભારતીય બંધારણ

ભારતની બંધારણસભા


[1] ભારતની બંધારણસભાનો સૌ પ્રથમ ઉલ્લેખ કોને અને ક્યારે કર્યો હતો?
  • ઈ.સ.1922 માં મહાત્મા ગાંધી 

[2] "કોમનવેલ્થ ઓફ ઇન્ડિયા બીલનો" મુસદ્દો ક્યારે તૈયાર કરવામાં આવ્યો હતો?
  • 24 એપ્રિલ, 1923 ના રોજ તેજબહાદુર સપ્રુની અધ્યક્ષતામાં એક રાષ્ટ્રીય સંમેલન દરમ્યાન.

[3] ભારતના બંધારણની રચનાનો સૌ પ્રથમ પ્રયત્ન ક્યારે કરવામાં આવ્યો હતો?
  • 10 ઓગષ્ટ, 1928 ના નેહરુ રીપોર્ટ દ્વારા

[4] ભારતના બંધારણની "બ્લુ પ્રિન્ટ" કોને કહેવામાં આવે છે?
  • 1928 ના નેહરુ રીપોર્ટને

[5] કોંગ્રેસના કયા અધિવેશનમાં બંધારણ નિર્માણનું સૌ પ્રથમ આહવાન કરવામાં આવ્યું હતું?
  • 17 મે, 1927 ના મુંબઈ અધિવેશન માં મોતીલાલ નેહરુ દ્વારા

[6] નેહરુ રીપોર્ટ બનાવનાર સમિતિના અધ્યક્ષ કોણ હતા?
  • મોતીલાલ નેહરુ

[7] બંધારણ સભા રચવાનો સૌ પ્રથમ વિચાર કોને આવ્યો હતો?
  • ઈ.સ. 1934 માં માન્વેન્દ્રનાથ રોયને

[8] સૌ પ્રથમ વખત બંધારણસભાની રચનાની માંગ કોણે અને ક્યારે કરી હતી?
  • ઈ.સ. 1935 માં જવાહરલાલ નેહરુ દ્વારા ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ વતી. (જેમાં પુખ્તવય મતાધિકારના ધોરણે કોઈ પણ પ્રકારની બાહ્ય દાખલ વગર બંધારણસભાની માંગણી કરી હતી.)

[9] વયસ્ક મતાધિકારના આધારે સૌ પ્રથમ ચૂંટણી ક્યારે થઇ હતી?
  • ઈ.સ.1937 (આ ચુંટણીમાં કોંગ્રેસે વિજય મેળવીને બંધારણ રચવાનો પ્રસ્તાવ પસાર કર્યો હતો.)

[10] બ્રિટન દ્વારા સૌ પ્રથમ વખત બંધારણસભાની રચનાની માંગ ક્યારે સ્વીકારી હતી?
  • ઈ.સ. 1940 માં "ઓગષ્ટ પ્રસ્તાવ" દ્વારા
[ads-post]
[11] ભારતમાં ક્રિપ્સ મિશન ક્યારે આવ્યું હતું?
  • ઈ.સ. 1942 માં સ્ટેફર્ડ ક્રિપ્સ ના નેતૃત્વ હેઠળ

[12] ક્રિપ્સ મિશનને ગાંધીજીએ શું બિરુદ આપ્યું હતું?
  • "પોસ્ટ ડેટેડ ચેક"

[13] કેબિનેટ મિશન ભારત માં ક્યારે આવ્યું હતું?
  • ઈ.સ. 1946 

[14] કેબિનેટ મિશનના સભ્યો કોણ હતા?
  • ત્રણ સભ્યો - પેન્થીક લોરેન્સ (અધ્યક્ષ), એ.વી.એલેક્ઝાન્ડર અને સ્ટેફર્ડ ક્રિપ્સ 

[15] બંધારણસભાની રચના ક્યાં મિશન ના પ્રસ્તાવ અનુસાર થઇ હતી?
  • 1946 ના કેબિનેટ મિશન

[16] બંધારણસભાની કુલ સભ્ય સંખ્યા કેટલી હતી?
  • 389 સભ્યો

[17] બંધારણ સભાના ચૂંટાયેલા સભ્યો કેટલા હતા?
  • 296 (292- બ્રિટીશ ભારતમાંથી અને 4 સભ્યો કમિશનર ક્ષેત્રમાંથી)

[18] બંધારણ સભામાં નિમણુક પામેલા સભ્યો કેટલા હતા?
  • 93 સભ્યો (દેશી રજવાડાઓમાંથી)

[19] બંધારણ સભાના સભ્યોને કેટલા ભાગમાં વહેચવામાં આવ્યા હતા?
  • 3 ભાગમાં (સામાન્ય, મુસ્લિમ અને શિખ) 

[20] બંધારણ સભાની બેઠકોનું વિસ્તરણ કયા આધારે કરવામાં આવ્યું  હતું?
  • પ્રત્યેક 10 લાખની વસ્તી પર 1 બેઠક

[21] બંધારણસભાની સૌ પ્રથમ બેઠક ક્યારે બોલાવવામાં આવી હતી?
  • 9 ડિસેમ્બર, 1946 ના રોજ.

[22] બંધારણસભાના સૌ પ્રથમ અને અસ્થાયી અધ્યક્ષ કોણ હતા?
  • ડૉ. સચ્ચિદાનંદ સિંહા 

[23] બંધારણ સભાના સ્થાયી અધ્યક્ષ કોણ હતા?
  • ડૉ. રાજેન્દ્ર પ્રસાદ (11 ડિસેમ્બર,1946 ની બીજી બેઠકમાં)

[24] બંધારણ સભાના ઉપાધ્યક્ષ કોણ હતા?
  • એચ.સી.મુખર્જી

[25] બંધારણ સભામાં બંધારણીય સલાહકાર કોણ હતા?
  • બી.એન.રાવ

Post a Comment

[blogger][facebook]

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.