Current Affairs 04/02/2017

Annual “Udyanotsav of Rashtrapati Bhavan” by President Pranab Mukherjee:-


  • રાષ્ટ્રપતિ ભવનનો વાર્ષિક ઉદ્યાનોત્સવની શરૂઆત રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજી દ્વારા કરવામાં આવી.
  • આ ઉત્સવ માટે તુલીપના સાત જુદાજુદા રંગના 14000 બલ્બ વડે મુઘલ બાગને સજાવવામાં આવ્યો છે.
  • આ વર્ષના ઉદ્યાનોત્સવમાં ગુલાબના ફૂલની બે નવી જાત મુકવામાં આવી છે જેનું નામ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજી અને તેમના સ્વર્ગસ્થ પત્ની સુરવા મુખરજીના નામ પરથી રાખવામાં આવ્યું છે.
World Cancer Day observed on 4th January:-

  • આજે 4 ફેબ્રુઆરી વિશ્વ કેન્સર દિન છે.
  • આ દિવસ ની શરૂઆત Union for International Cancer Control (UICC) દ્વારા 2008માં લખાયેલા World Cancer Declaration નાં ધ્યેયને ટેકો આપવાં માટે કરવામાં આવી હતી.
  • આ દિવસ ઉજવવાનું કારણ કેન્સર જેવા ભયંકર રોગો થી લોકોને સાવચેત કરવા અને લોકોમાં જાગૃતતા ફેલાવા માટેનું છે.
  • આ ધ્યેયનો પ્રાથમિક હેતુ 2020 સુધીમાં કેન્સર થી મૃત્યુ પામતાં લોકોની સંખ્યામાં ઘટાડો કરવાનો છે.
  • વિશ્વના પ્રતિવર્ષ 88 લાખ કેન્સરગ્રસ્ત મૃત્યુ માં ભારત સતત 22 લાખ મૃત્યુઆંક સાથે વિશ્વમાં સૌથી વધારે આંક ધરાવે છે.
  • ડોક્ટરોના મંતવ્ય અનુસાર 70% લોકો ભારતનાં કેન્સર નાં દર્દીઓ ટર્મિનલ સ્ટેજ પર ડોક્ટરની સલાહ લેવા આવે છે.
  • તંબાકુ અને તેની અન્ય ઉત્પાદો ઉપરાંત બીજા અન્ય ક્રનોસર ભારતમાં કેન્સરનું પ્રમાણ વધ્યું છે.


Independence Day of Sri Lanka – 4th February:-

  • આ દિવસે 4 ફેબ્રુઆરી 1948 ના રોજ શ્રીલંકા અંગ્રેજોની ગુલામીમાંથી સ્વતંત્ર થયું હતું.
  • શ્રીલંકા વિશે થોડી માહિતી :-
    • આધિકારીક ભાષા :- સિંહાલી  અને તામિલ
    • ચલણ :- શ્રીલંકા નો રૂપિયો
    • રાષ્ટ્ર્ગાન :- શ્રીલંકા મથ
    • રાજધાની :- 
      • રાજકીય રાજધાની - શ્રી જયવર્દનેપુરા કોટ્ટે
      • આર્થિક રાજધાની – કોલોમ્બો
    • રાષ્ટ્રપતિ :- મૈથ્રીપાલા સિરીસેના
    • વડાપ્રધાન :- રનીલ વિક્રેમેસિંઘે
    • સંસદના અધ્યક્ષ :- કરુ જયસુર્યા
    • મુખ્ય ન્યાયમૂર્તિ :- કે. શ્રીપવન


Indian Embassy to Afghanistan declared to liberalized the Visa policy:-

  • ભારતની અફઘાન એમ્બેસીએ અફધાની લોકો માટેની વિઝા પોલિસીમાં વધારે છૂટ આપવાની જાહેરાત કરી.
  • યાત્રી વિઝાનાં સમયગાળામાં 1 વર્ષ સુધીનો વધારો કરીને ભારતમાં સતત ૩ મહિના સુધી રહેવાની છૂટ આપી જે પહેલા 1 મહિનાની હતી.
  • અફઘાની વ્યયાપારીઓ કે જેમને ભારતમાં રોકાણ કરેલ છે તેમને 6 મહિના સુધી સતત રહેવાની છૂટ સાથે વિઝા નો સમયગાળો 1 થી 6 વર્ષ સુધીનો કર્યો.


CBSE Board may change International Syllabus from 2017-18:-

  • આવતા શેક્ષણિક વર્ષ 2017-18 માં Central Board of Secondary Education (CBSE)  દ્વારા તેના આંતરાષ્ટ્રીય અભ્યાસક્રમ માં ફેરફાર કરવામાં આવશે.
  • આ અભ્યાસક્રમમાં વૈશ્વિક ધોરણોનાં વાંચન સામગ્રીનાં અભાવે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.
  • આ પગલાથી અંદાજીત ભારતની 50 શાળાઓ અને 26 UAE અને સિંગાપોર ઉપરાંત અન્ય શાળાઓ પર અસર પડશે.


Virat Kohli Selected for cover page of Wisden Cricketers’ Almanack:-

  • Wisden Cricketers' Almanack નાં કવર પેજ પર વિરાટ કોહલીને પસંદ કરવામાં આવ્યો.
  • કોહલી એ એશિયામાં જન્મેલ ત્રીજો ખેલાડી છે જેને આ કવર પેજ માટે પસંદ કરવામાં આવ્યો છે આ અગાઉ સચિન તેંડુલકર અને ઇંગ્લેન્ડનો મોઈન અલી પણ આ પેજ પર રહી ચુક્યા છે.



[ads-post]
Jury President of 70th Cannes Film Festival will be Pedro Almodovar:-

  • ઓસ્કાર મેળવનાર સ્પેનિસ ફિલ્મમેકર પેડ્રો અલ્મોડોવાર 70માં Cannes Film Festival ની જ્યુરીના પ્રમુખ બનશે.


Anand Kumar Gupta appointed as Director of NTPC:-

  • આનંદ કુમાર ગુપ્તાની નિમણુંક NTPC (National Thermal Power Corporation Limited)ના નવા ડીરેક્ટર તરીકે કરવામાં આવી.
  • આ નવા પદ પર તેની જવાબદારી વાણિજ્યિકને લગતી, આંતરરાષ્ટ્રીય અને ઘરેલું ધંધાકીય વિકાસ તથા એનટીપીસીના કન્સલ્ટન્સી બિઝનેસને લગતી રહેશે.
  • તેઓ Moti Lal Nehru National Institute of Technology, Allahabad માંથી  ઈલેક્ટ્રીકલ એન્જીનીયરીંગમાં સ્નાતક થયા છે.


13th anniversary of Social media site Facebook:-

  • આજે સોશિયલ મીડિયા સાઈટ ફેસબુક નાં 13 વર્ષ પુરા થયા.
  • 2004માં માર્ક ઝુકેરબર્ગ અને તેના હાર્વર્ડ યુનિવર્સીટી અન્ય સાથીઓ દ્વારા ફેસબુકની શરૂઆત કરવામાં આવી હતી.


Indian Railway Ministry and Italian company FS Group signed agreement for modernization and securitization of Indian Railway
  • રેલ્વે નાં આધુનિકરણ અને સલામતી(સુરક્ષા) માટે ભારતનાં રેલ્વે મંત્રાલય અને ઇટાલીની જાહેર ક્ષેત્રની કંપની Ferrovie Dello Stato Italiane Group (FS Group) વચ્ચે કરાર કરવામાં આવ્યા.
  • આ MoU કરવાનું મુખ્ય કારણ રેલ્વે માં વધતા જતા અકસ્માતો ઘટાડીને રેલ યાત્રા સુરક્ષિત કરવાના હેતુસર કરવામાં આવ્યો છે.


Former CBI Director Joginder Singh passed away:-

  • CBI (Central Bureau of Investigation) નાં ભૂતપૂર્વ ડાયરેક્ટ જોગીન્દર સિંઘ નું નિધન થયું.
  • જોગીન્દર કે જેઓ ભારતીય પોલીસ સેવામાં કાર્યરત હતા તેઓ 1996-97 નાં સમયગાળા દરમિયાન CBI નાં ડાયરેક્ટર તરીકે કાર્ય કર્યું હતું.


Vikram Limaye (IDFC’s MD & CEO) will be appointed as a MD & CEO of National Stock Exchange:-

  • નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) બોર્ડ દ્વારા IDFC નાં મેનેજીંગ ડિરેક્ટર અને CEO વિક્રમ લીમાયેની નિમણુક NSE નાં આવનાર MD અને CEO તરીકે કરવાનું નક્કી કર્યું છે.,
  • આ નિમણુક માર્કેટ રેગ્યુલેટર (બજાર નિયામક) SEBI ની પરવાનગી માટે બાકી રાખવામાં આવેલ છે.
  • ઉપરાંત લીમ્બાયે ની નિમણુક  Board of Control for Cricket in India (BCCI)ની ગવર્નિંગ કાઉન્સિલનાં ચાર સભ્યોમાંનાં એક સભ્ય તરીકે પણ કરવામાં આવેલ છે.



Post a Comment

[blogger][facebook]

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.